ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર હાલમાં T20 ટીમનો ભાગ નથી. એવું માનવામાં આવે છે કે ઐયર T20 વર્લ્ડકપ 2024માં રમતા જોવા નહીં મળે. તે હાલમાં ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝની તૈયારી માટે રણજી ટ્રોફી રમી રહ્યો છે.
ભારતીય ટીમમાં સ્થાન ન મળતા શ્રેયસ ઐયરે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
ઐયરે રણજી મેચ રમી
રણજી ટ્રોફીમાં આંધ્ર સામે મુંબઈની જીત બાદ શ્રેયસ ઐયરે કહ્યું, “જુઓ, હું વર્તમાન વિશે વિચારું છું. મને જે મેચ રમવા માટે કહેવામાં આવ્યું હતું તે મેં પૂરું કર્યું છે (આંધ્ર સામેની રણજી મેચ). “હું આવ્યો અને હું રમ્યો, તેથી હું જે કરી રહ્યો છું તેનાથી હું ખુશ છું. કંઈક જે મારા નિયંત્રણમાં નથી, હું તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. મારું ધ્યાન અહીં આવીને મેચ જીતવા પર હતું અને આજે મે તે જ કર્યું.”
સાઉથ આફ્રિકામાં ખરાબ પ્રદર્શન બાદ પસંદગીકારોએ ઐયરને મુંબઈ માટે રણજી ટ્રોફી રમવાની સૂચના આપી કારણ કે તે ટેસ્ટ ટીમનો ભાગ છે. ઐયરે 48 બોલમાં 48 રન બનાવ્યા હતા જ્યારે આંધ્રના બોલરોએ શોર્ટ બોલ સામે તેની નબળાઈનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.
એક મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ
જ્યારે ટેસ્ટ સિરીઝ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઐયરે કહ્યું કે તે વધુ આગળનું વિચારી રહ્યો નથી. તેણે કહ્યું, “એક સમયે એક મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. પાંચ મેચની ટેસ્ટ સિરીઝ વિશે વિચારવું નહીં. અત્યારે ટીમ માત્ર પ્રથમ બે ટેસ્ટ મેચ માટે છે. અમારે પ્રથમ બે મેચમાં સારું પ્રદર્શન કરવું પડશે અને પછી બાકીની મેચોની રાહ જોવી પડશે. ઐયરે કહ્યું કે મેચની પરિસ્થિતિ ગમે તે હોય, તે આક્રમક રીતે રમશે જે રીતે તેણે આંધ્ર સામે પહેલા દિવસે બેટિંગ કરી હતી. તેણે કહ્યું, “મારી માનસિકતા એ જ હતી અને હંમેશા રહેશે.”