- ઈંગ્લેન્ડની ટીમે શ્રેણીમાં 1.0 ની સરસાઈ મેળવી લીધી
- ભારતને 4 દિવસમાં 28 રને હારનો સામનો કરવો પડ્યો
- શ્રેણીની બીજી મેચ શુક્રવારે વિશાખાપટ્ટનમમાં રમાશે
ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ શુક્રવાર (2 ફેબ્રુઆરી)થી રમાશે. આ મેચ વિશાખાપટ્ટનમના YS રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યાથી રમાશે.
જાણો આ મેચમાં ભારતીય પ્લેઈંગ – 11 માં શું થઈ શકે છે?
ઈંગ્લેન્ડની ટીમે શ્રેણીમાં 1 – 0 ની સરસાઈ મેળવી લીધી
ભારત 11 વિરુદ્ધ ઈંગ્લેન્ડ 2જી ટેસ્ટ રમી રહ્યું છે, ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદમાં યોજાઈ હતી, જેમાં ભારતીય ટીમને માત્ર 4 દિવસમાં 28 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે ઈંગ્લેન્ડની ટીમે શ્રેણીમાં 1 – 0 ની સરસાઈ મેળવી લીધી છે. મહત્ત્વનું છે કે, શ્રેણીની બીજી મેચ શુક્રવારે વિશાખાપટ્ટનમના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે અને આ મેચમાં પ્લેઈંગ 11 ની પસંદગી ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે માથાના દુખાવાથી ઓછી નહીં હોય.
કેપ્ટનને પણ રન બનાવવા માટે સંઘર્ષ
તેનું કારણ એ છે કે, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, કે. એલ. રાહુલ અને મોહમ્મદ શમી ટીમમાં નથી. જ્યારે શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ખૂબ જ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યાં છે. કેપ્ટન રોહિત પોતે રન બનાવવામાં સફળ રહ્યો નથી. આવી સ્થિતિમાં બીજી ટેસ્ટ માટે આકરા નિર્ણયો લેવામાં આવી શકે છે.
ગિલ અને ઐયર બંને બહાર બેસી શકે
આ જ કારણ છે કે, ગિલ અને ઐયર બંને અથવા તેમાંથી કોઈ એક બહાર બેસી શકે છે. તેમના સ્થાને રજત પાટીદાર અને સરફરાઝ ખાનને તક મળી શકે છે. જો આમ થશે તો તે રજત અને સરફરાઝની ડેબ્યૂ મેચ પણ હશે. જોકે, ગિલ અને અય્યરને બહાર રાખવાની ઘણી ઓછી આશા છે. જો બંને રમશે તો રજત અથવા સરફરાઝ બંનેમાંથી કોઈ એક ને તક મળશે.